જ્ઞાન વિશેની ગેરસમજને કારણે લોકો જ્ઞાન મેળવવા માટે ખૂબ જ મહેનત કરે છે અને મોટા ભાગના લોકો ફક્ત વધુ અને વધુ માહિતી એકત્રિત કરવામાં અટવાઇ જાય છે આ પ્રથા કંટાળાજનક બની જાય છે અને તેથી રોગો અને વિકારોમાં વધારો થાય છે. અદ્વૈતના તમામ મહાન આત્માઓએ એને ટાળવાનું કહ્યું છે. અષ્ટાવક્રગીતાના સોળમાં અધ્યાયમાં પણ કહેવાયું છે કે ‘સ્વાસ્થ્યં સર્વવિસ્મરણાદૃતે’. એટલા માટે જ્ઞાનેશ્વર માઊલીએ માનવજીવનના ઉધ્ધાર માટે અને જ્ઞાનનો ભાર ના હોવા માટે માત્ર ૯ ઓવીઓમાં સુંદર જીવનનો સંપૂર્ણ સાર આપ્યો છે.પસાયદાનની ૯ ઓવીઓમાં જીવનના બધા સ્તરોની સમસ્યાઓ પર સમાધાન પ્રાપ્ત થાય છે. પસાયદાન વાચતાં સંત જ્ઞાનેશ્વર મહારાજની સાધના અને ઉર્જા આ બંન્ને ના ફળ વાંચનારાને આશીર્વાદ સ્વરૂપે સહજ પ્રાપ્ત થાય છે. આ ૯ ઓવીઓમાં માત્ર તેમના શબ્દાર્થ જ નહીં પરંતુ તેમના ગૂઢ અર્થ પણ સમજવું જોઈએ. જેઓ જીવનમાં સરળતા અને સમતા શોધે છે તેમના માટે તે એક મહાન માર્ગદર્શક બની રહેશે. આ માન્યતાનું કારણ એ છે કે જેણે તેને આત્મસાત કર્યું છે તે ખૂબ જ સંતોષ અનુભવી રહ્યા છે. વિભુશ્રી ના વિશે સંક્ષિપ્તમાંજેમ સ્રેષ્ઠ વાહન ચાલક એક કુશળ પ્રશિક્ષક પાસેથી ડા્ઇવિંગ કૌશલ્ય સલામતીના નિયમો બહેતર રસ્તાના નિયમોનુ શ્રેષ્ઠ પ્રશિક્ષણ મેળવે છે તેજ રીતે વિભુશ્રીના માર્ગદર્શન હેઠળ પસાયદાન શીખવાથી શાંતિ અને સંતુલિત વિકાશમાં વૃધ્ધિ થાય છેનાદ યોગી શ્રી રિવેશ વદે આઈ આઈ ટી બોમ્બેના મેનેજમેન્ટ સ્નાતક હોવાની સાથે સોફટવેર એન્જિનિયર છે.મૃત્યુના નજીકના અનુભવને કારણે ૨૦૧૨ માં બોધમાર્ગ ફાઉન્ડેશનની સ્થાપના કરી. નાદ યોગમાં તેમની નિપુણતા અને ધ્વનિ દ્વારા પ્રાપ્ત થતી ઝડપી સુખાકારી અને આધ્યાત્મિકતા જોઈને ૨૦૧૭માં ટાઈમ્શ ગ્રુપ દ્વારા તેમને બહુમાનીત કર્યા હતા. ધ્યેય છે આ ઝડપી ગતિશીલ વિશ્વમાં વૈજ્ઞાનિક રીતે દૈવી જ્ઞાનનો પ્રસાર કરવો. યુનેસ્કો-૨૨ કોન્ફરન્સમાં મુખ્ય વક્તા તરિકે સન્માનિત કર્યા જેનો મુખ્ય વિષય પસાયદાનનું દિવ્ય જ્ઞાન.
Piracy-free
Assured Quality
Secure Transactions
Delivery Options
Please enter pincode to check delivery time.
*COD & Shipping Charges may apply on certain items.