બાદશાહ અકબરના દરબારના રત્ન બીરબલ અત્યધિક વ્યવહારકુશળ પ્રામાણિક અને વિવેકબુદ્ધિથી સંપન્ન વ્યક્તિ હતા. પોતાની બુદ્ધિના બળ પર એમણે અકબર બાદશાહના દરબારમાં મહત્ત્વપૂર્ણ સ્થાન પ્રાપ્ત કર્યું. એમના જ્ઞાન અને એમને પ્રાપ્ત સન્માનના કારણે અન્ય દરબારી એમનાથી ઈર્ષ્યા કરતા હતા અને અનેકવાર એમને નીચા બતાવવાનો પ્રયાસ પણ કરતા હતા પરંતુ બીરબલ પોતાની હાજરજવાબી તથા પ્રવીણતાના કારણે વારંવાર એમના પ્રહારોથી બચી નીકળતા હતા. એવું કહેવામાં આવે છે કે કેટલીયવાર બીરબલની અનુપસ્થિતિથી દરબાર સુનોસુનો લાગતો હતો. અને બાદશાહ અકબર પણ ઉદાસ થઈ જતા હતા. આ જ બીરબલની હાજરજવાબીનું એક ઉદાહરણ છે આ પુસ્તકઃ