લોક વાયકા કહે છે કે અદ્રશ્ય એક દુનિયા હોઈ શકે છે. ભુત ડાકણ પિશાચ વાસ્તવમાં અનુભવ કેટલા ને થયો છે તેનો ખ્યાલ નથી. વાસ્તવમાં ભુત બનવાનું કારણ અતૃપ્ત રહી ગયેલ જીવનની ઈચ્છા હોઈ શકે છે. જેમ આપણે રાત્રી નાં સુતાં સમયે જે જોતા હોઇએ વિચારતાં હોઇએ તો સપનાં પણ આપણને તેવા જ આવે છે. જો માનો કે ભુત કે અદ્રશ્ય દુનિયા છે તો તેનો ભય રહે અને જાણવાની મજા પણ રહેતી હોય છે. ધાર્મિક પ્રમાણે તેને વ્યંતર કહે છે જે દુર્ગતિ થયા પછી પણ સારા કામ કરવાને કટિબદ્ધ હોઈ શકે છે. કેટલાય ગામડા માં વડલા પાસેથી રાત્રી ના પસાર થવાની ના પાડતા હોય છે અહીં સીટી માં ચાર રસ્તા પર વાતો નહી કરવાની સલાહ મળતી હોય છે. અવાવરુ જગ્યા એ લધુશંકા કરતા ખોંખારો ખાવાનો કહેવામાં આવે છે. આ બધી ડર ની પરિભાષા છે અને ના ના કહેતા ભુત છે તે સ્વીકારી લેતા હોઈ એ છે. આ વાર્તા નાં મોડ અને વળાંક ઘણાબધા છે તેને જીવનમાં મુશ્કેલ સમય નો અફસોસ માટે નો મૃત્યુ પછી આ સમય મળે છે. કયાંક કોઈ મળે અને વાતે ચઢી જાય આપવીતી કહે અને પછી ખબર ના પડે તેમ સામેવારા ને ભેરવી તેનો પણ ખેલ સમાપ્ત કરી શકે છે. વાર્તા બે આપઘાત કરવા જતા યુવતી અને યુવાન ની આસપાસ ફરતી રહે છે. તેમનાં જીવન ની બની ગયેલી ઘટના ને આપઘાત પહેલા એકબીજા ને કહેવા બેસે છે અને પછી આપઘાત કેમ કરવો? કે ના કરવો ના વિચારે ચઢે છે. સાર એકજ કે આપણે વિશ્વાસ કેટલો મુકી શકીએ છે. અને જે છે તે હકીકત છે કે કેમ? આભાર સહ આ મારી પ્રથમ નવલકથા છે કોઈ પણ ક્ષતિ હોય તો દરગુજર કરશો.
Piracy-free
Assured Quality
Secure Transactions
Delivery Options
Please enter pincode to check delivery time.
*COD & Shipping Charges may apply on certain items.