About the Book: પ્રિય પરિવારજનો સ્નેહીજનો તથા મિત્રો થોડા મહિનાઓ પહેલા હું સમાચારપત્ર માં આવતી પૂર્તિ વાચતો હતો તેમાં મારી નજર આવતી એક કવિતા પર પડી તેની રચના જોઈ ને મને થયું ચાલ ને એક પ્રયાસ કરી જોવું પંક્તિ લખવાનું. સૌ પ્રથમ પંક્તિ મે મારી માં અવસાન પામી તેના એક મહિના બાદ લખી તેની યાદ મા આ બસ પછી થી મારા અંતર મન થી પ્રેરણા થઈ ને એક પછી એક પંક્તિઓ લખતો આવ્યો એમ સમજો કે મારી માં મને એક મારા અંતર મન મા છૂપાયેલી વિદ્યા બહાર લાવી ને આશીર્વાદ આપતી ગઈ. અંતર મન ની રચનાઓ દ્વારા મે મારી પ્રથમ વિચારધારા ની રજૂઆત કરી છે હજુ મારે ઘણું શીખવાનું છે ને તે પ્રયાસ અવિરત ચાલુ રહેસે. કાવ્ય ક્ષેત્રે હજુ એક ડગ માડતો કવિ ની ઉપમા તો ન આપી સકું પરંતુ એક સહદય વિચારધારા ધરાવતો માનવી છું. વાચક મિત્રો મારી રચનાઓ મૌખિક છે આપના સૂચનો પસંદગી હમેશ આવકાર્ય રહેસે. અંતર મન માથી ઉદભવેલી પંક્તિઓ થી લાગણીઓ પ્રસરાવાનો પ્રયાશ કરેલ છે. કોઈ ની લાગણી ઓ ને ઠેશ પહોચે તેવું કઈ લાગે તો તુરત જાણ કરસો તેના માટે આગોતરી માફી પણ માંગી લઉં છું. તે સાથે મારા પિતા - માતા મારા દરેક પરિવારજનો મિત્રો સ્નેહીઓ નો પણ આભાર વ્યક્ત કરું છું જેઓ ના આશીર્વાદ અને પ્રેરણા થકી એક પ્રયાસ કરી સકયો છું. “ માં “ તુજને સમર્પિત .. આશિત ધોળકિયા “ આશ ” પ્લોટ નં. સી 300 રોટરી મકાન નં. 26 ની સામે ની શેરી ટોપ હિલ સોસાયટી રાવલવાડી રીલોકેશન સાઇટ ભુજ કચ્છ. ગુજરાત . (મો) 99254 27268 .
Piracy-free
Assured Quality
Secure Transactions
Delivery Options
Please enter pincode to check delivery time.
*COD & Shipping Charges may apply on certain items.