ભાગ્યના કર્મ સિધ્ધાંત અનુસાર આપણું જીવન એવું જ બને છે જેવું આપણે કર્મ કરીએ છીએ. દુર્ભાગ્યને પોતાનું ભાગ્ય એટલે કે પૂર્વ જન્મના સંચિત કર્મ માનીને જે લોકો સખત મહેનત નથી કરતાં એમને ઇચ્છિત સફળતા અને લક્ષ્ય પ્રાપ્ત નથી થતાં. જો ભગવાન રામે વનવાસકાળમાં રાવણ દ્વારા સિતાજીના અપહરણને પોતાનું નસીબ માની લીધું હોત અને સો માઈલ દૂર લંકા સુધી જવાનું અશક્ય માની લીધું હોત તો તે ક્યારેય પણ મૃત્યુ અને ગ્રહ નક્ષત્રોને કાબૂમાં કરવાવાળા મહાપ્રતાપી રાવણનો નાશ ન કરી શક્યા હોત. બધાં ધર્મમાં બધાં દેશમાં અને દરેક સંસ્કૃતિના ઇતિહાસમાં એટલા અગણિત ઉદાહરણ મળે છે જેનાથી એ સિધ્ધ થાય છે કે નસીબ પર નહીં મહેનત પર વિશ્વાસ કરનાર ને જ ઇશ્વર પણ મદદ કરે છે.
Piracy-free
Assured Quality
Secure Transactions
Delivery Options
Please enter pincode to check delivery time.
*COD & Shipping Charges may apply on certain items.