Bhaktiyog(ભક્તિયોગ) + Gyanyog(જ્ઞાનયોગ) + Karmyog(કર્મયોગ) + Rajyog(રાજયોગ)

About The Book

This combo product is bundled in India but the publishing origin of this title may vary.Publication date of this bundle is the creation date of this bundle; the actual publication date of child items may vary.સ્વામી વિવેકાનંદ દ્વારા રચિત 'ભક્તિયોગ' ભક્તિના માર્ગને સમર્પિત એક અત્યંત મહત્ત્વપૂર્ણ ગ્રંથ છે. આ પુસ્તક ભક્તિના મૂળભૂત સિદ્ધાંતો અને એના વિભિન્ન અભ્યાસોનું વિસ્તૃત વિવરણ પ્રસ્તુત કરે છે. એમાં ભક્તિને ઈશ્વર પ્રતિ અતૂટ પ્રેમ અને પૂર્ણ સમર્પણના રૂપમાં પરિભાષિત કરવામાં આવી છે. ‘ભક્તિયોગ' એ શક્તિશાળી ભાવનાને ઉજાગર કરે છે જે એક સાધકને સીધો પરમાત્મા સાથે જોડે છે. આ આપણને શીખવાડે છે કે ભક્તિ આધ્યાત્મિક ઉન્નતિ અને પરમ મુક્તિ પ્રાપ્ત કરવાનું એક સરળ અને અત્યંત પ્રભાવી સાધન છે. આ ગ્રંથ એ વાત પર પ્રકાશ ફેંકે છે કે ભક્તિના માધ્યમથી મનુષ્ય ઈશ્વરની અસીમ કૃપાને પ્રાપ્ત કરી શકે છે અને પોતાના જીવનમાં સાચી શાંતિ અને આનંદનો અનુભવ કરી શકે છે. 'ભક્તિયોગ' એ સૌ લોકો માટે એક મૂલ્યવાન માર્ગદર્શક છે જે ભક્તિના માર્ગ પર ચાલવા ઇચ્છે છે. આ પુસ્તક આપણને ઈશ્વર પ્રતિ પ્રેમ અને સમર્પણ વિકસિત કરવા અને એક સાર્થક આધ્યાત્મિક જીવન જીવવા માટે પ્રેરિત કરે છે.'કર્મયોગ' આપણને શીખવાડે છે કે જીવનમાં કર્મ કરવા અપરિહાર્ય છે પરંતુ મહત્ત્વપૂર્ણ એ છે કે આપણે કયા ભાવ અને સમજની સાથે કર્મ કરીએ છીએ. સ્વામી વિવેકાનંદ આ પુસ્તકમાં નિષ્કામ કર્મના સિદ્ધાંત પર ભાર આપે છે અર્થાત્ ફળની ઇચ્છા કર્યા વગર કર્તવ્યનું પાલન કરવું. તેઓ બતાવે છે કે સ્વાર્થરહિત કર્મ જ આપણને બંધનમાંથી મુક્ત કરી શકે છે અને આધ્યાત્મિક ઉન્નતિની તરફ લઈ જઈ શકે છે.<br>આ પુસ્તક વિભિન્ન ઉદાહરણો અને દૃષ્ટાંતોના માધ્યમથી કર્મયોગના ગૂઢ રહસ્યોને સરળ ભાષામાં સમજાવે છે. આ આપણને શીખવાડે છે કે કેવી રીતે આપણે પોતાના દૈનિક જીવનના સાધારણ કાર્યોને પણ યોગમાં પરિવર્તિત કરી શકીએ છીએ જેનાથી આપણું જીવન વધારે સાર્થક અને ઉદ્દેશ્યપૂર્ણ બની શકે. ‘કર્મયોગ' એ સૌ લોકો માટે એક માર્ગદર્શક છે જે જીવનમાં સફળતા એન શાંતિ પ્રાપ્ત કરવા ઇચ્છે છે અને કર્મના સાચા સ્વરૂપને સમજવા ઇચ્છે છે. આ આપણને કર્મના માધ્યમથી ઈશ્વર સુધી પહોંચવાનો માર્ગ બતાવે છે.સ્વામી વિવેકાનંદ દ્વારા રચિત 'રાજયોગ' પતંજલિના યોગ સૂત્રો પર આધારિત એક પ્રભાવશાળી કૃતિ છે. આ પુસ્તક મનની ગહનતાને સમજવા અને એને નિયંત્રિત કરવાની વૈજ્ઞાનિક રીતો પર પ્રકાશ ફેંકે છે. એમાં ધ્યાન ધારણા પ્રત્યાહાર પ્રાણાયામ અને સમાધિ જેવાં યોગના વિભિન્ન પાસાઓનું વિસ્તૃત વર્ણન મળે છે. વિવેકાનંદે જટિલ દાર્શનિક વિચારોને સરળ ભાષામાં પ્રસ્તુત કર્યા છે જેનાથી તે આધ્યાત્મિક સાધકો અને જિજ્ઞાસુઓ બંને માટે સુલભ થઈ જાય છે. 'રાજયોગ' આત્મ-જ્ઞાન અને આંતરિક શાંતિની પ્રાપ્તિ માટે એક વ્યાવહારિક માર્ગદર્શિકા છે. સ્વામી વિવેકાનંદ દ્વારા રચિત 'રાજયોગ' ગ્રંથ આજે પણ યોગ અને ધ્યાનના જિજ્ઞાસુઓ માટે એક મહત્ત્વપૂર્ણ સ્રોત છે. આ ગ્રંથ આપણને પોતાના મનને સમજવા નિયંત્રિત કરવા અને આધ્યાત્મિક વિકાસના માર્ગ પર આગળ વધવામાં મદદ કરે છે.'જ્ઞાનયોગ' સ્વામી વિવેકાનંદની એક મહત્ત્વપૂર્ણ કૃતિ છે જે જ્ઞાનના માર્ગ પર કેન્દ્રિત છે. આ પુસ્તકમાં સ્વામીજીએ વેદાંત દર્શનના ગૂઢ સિદ્ધાંતોને સરળ અને સુગમ ભાષામાં પ્રસ્તુત કર્યા છે. તેઓ બતાવે છે કે સાચું જ્ઞાન આત્માની પ્રકૃતિ અને બ્રહ્માંડની સાથે એના સંબંધને સમજવામાં નિહિત છે.<br>સ્વામીજી તર્ક અને બુદ્ધિના માધ્યમથી આધ્યાત્મિક સત્યની શોધ પર ભાર આપે છે. તેઓ અંધવિશ્વાસો અને કર્મકાંડોથી દૂર રહેવા તથા આત્મ-વિશ્લેષણ અને મનન દ્વારા સત્યને જાણવાનું આહ્વાન કરે છે. પુસ્તકમાં તેઓ વિભિન્ન દાર્શનિક અવધારણાઓ જેમ કે માયા બ્રહ્મ અને આત્માની વ્યાખ્યા કરે છે જેનાથી વાચકોને વાસ્તવિકતાની ઊંડી સમજ પ્રાપ્ત થાય છે.<br>'જ્ઞાનયોગ' એ લોકો માટે એક માર્ગદર્શિકા છે જે જીવનના અંતિમ સત્યને જાણવાની ઈચ્છા રાખે છે અને પારંપરિક ધાર્મિક વિશ્વાસોથી પરે જઈને સ્વયં અનુભવ કરવા ઇચ્છે છે. આ પુસ્તક વાચકોને આત્મ-જ્ઞાન તરફ પ્રેરિત કરે છે અને તેમને પોતાની આંતરિક શક્તિ અને ક્ષમતાને ઓળખવામાં મદદ કરે છે. આ પુસ્તક જ્ઞાનના મહત્ત્વ આધ્યાત્મિક જિજ્ઞાસા અને આત્મ-સાક્ષાત્કારના માર્ગ પર એક શક્તિશાળી અંતદ્દષ્ટિ પ્રદાન કરે છે.
Piracy-free
Piracy-free
Assured Quality
Assured Quality
Secure Transactions
Secure Transactions
Delivery Options
Please enter pincode to check delivery time.
*COD & Shipping Charges may apply on certain items.
Review final details at checkout.
downArrow

Details


LOOKING TO PLACE A BULK ORDER?CLICK HERE