કલ્પના અને વાસ્તવનો જેમાં સંસ્પર્શ છે એવી પિરામિડ કવિતાઓ લખતાં પૂજાબેન ગઢવી ''મંથના'' ની કલમ ગદ્ય પદ્યમાં સબળ રીતે વિહરે છે. માઈક્રૉબાયૉલોજીનો અભ્યાસ કરનાર અને તલાટી તરીકે કર્મસ્થ ''મંથના'' પાસે શબ્દ તેમજ સૂરની સમજ છે.બહુઆયામી વ્યક્તિત્વ ધરાવતાં કવયિત્રી ''મંથના'' સફળ સાહિત્યકાર છે. સેવાક્ષેત્રે પ્રવૃત્ત પૂજાબહેન સબળસફળ નારી છે. એમના આ કાવ્યસંગ્રહને આવકારું છું. - ડૉ. રમેશ ભટ્ટ ''રશ્મિ'' ભૂજ – કચ્છ