‘હિંદ સ્વરાજ્ય’માં ગાંધીજીની સત્ય પ્રતિ ઊંડી નિષ્ઠાના દર્શન થાય છે. એમાં આત્મબળ અને પ્રેમથી દ્વેષ તથા હિંસા જેવા દોષોને દૂર કરવા પર બળ આપવામાં આવ્યું છે. ગાંધીજીએ આત્માનુશાસનને મહત્ત્વ આપ્યું. ભારતીય સભ્યતાને શ્રેષ્ઠ બતાવતા એ સમજાવવાનો પ્રયત્ન કર્યો છે કે સ્વરાજયની કલ્પના બાહ્ય નહીં બલ્કે આંતરિક છે.