ક્રાંતિનો ધક્કો: જીવનની આરપાર યાત્રા! અનુકરણ છોડી સમ્રાટ બનવું છે? ડરના રાક્ષસોને હરાવીને નિખરવું છે? તમારી જવાબદારી માત્ર ''વૈતરાંનો બોજ'' છે કે ''ચેલેન્જની મોજ''? આ પુસ્તક તમને તમારા વ્યક્તિત્વની ગુણવત્તા ચકાસવા આમંત્રણ આપે છે. ''મજામાં'' અને ''આનંદમાં'' હોવાના ભેદથી લઈને માંહ્યલાના ધક્કાને ઓળખી પ્રગતિના નાના વિચારને કઈ રીતે સાર્થક કરવો તે સમજાવે છે. ભ્રાંતિ અને ક્રાંતિ વચ્ચેનો સંવાદ જીવનની સારહીન દોડમાંથી ભીતરની યાત્રા તરફ દોરે છે. સ્મિતને કાળજાની કેળવણીનું સર્ટી. બનાવતી આ યાત્રા તમારા એટીટ્યુડને વટથી વડપણ તરફ લઈ જશે! વાંચો અને જીવો!